રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજ રોજ ફરી સ્પષ્ટતા , રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે હજુ કોઈ નિશ્ચિતતા નથી. અમારા માટે બાળકનું સ્વાસ્થ્ય પહેલી પ્રાથમિકતા. કેન્દ્ર સરકાર તરફથી પણ આ માટૅ અમને કોઈ સૂચના કે અધિકૃત પત્ર મળેલ નથી અને બાળકો માટે સલામત વાતાવરણ ઉભું થાય ત્યાર બાદ આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કરીને નિર્ણય લેવાશે. બાળકોના સ્વાસ્થયની કાળજી રાખવા અને નાના બાળકો માટે તો સલામત વાતાવરણ સર્જાય પછી જ અમે નિર્ણય લઈશું.