સાબરમતી આશ્રમથી આરંભાયેલી દાંડીયાત્રા તા.૨૯મીએ બપોર બાદ એરથાણથી નીકળી ટકારમા, સોંદામીઠા થઈ ભાટગામ આવી પહોચી.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું તા.૨૯મી માર્ચના રોજ બપોર બાદ ઓલપાડ તાલુકાના એરથાણથી ટકારમા, સોંદામીઠા થઈ ભટગામ પહોચી હતી. જયાં ઠેર ઠેર ગ્રામજનોએ ફુલહાર, સૂતરની આટીથી દાંડીયાત્રીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ટકારમા ગામેથી ભટગામ સુધી પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઈ બાવળીયા દાંડીયાત્રામાં જોડાઈને યાત્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ભટગામે યોજાયેલા દેશભકિતસભર કાર્યક્રમમાં સંબોધન કરતા મંત્રીશ્રી બાવળિયાએ જણાવ્યું હતું કે, દાંડીયાત્રાએ આઝાદીના સંગ્રામમાં અનેરૂ મહત્વ ધરાવે છે. આ યાત્રાના પરિણામે અંગ્રેજોના પાયા હચમસી ગયા હતા. સમગ્ર વિશ્વએ આ યાત્રાનો નોંધ લીધી હતી. ગાંધીજીએ દાંડીયાત્રા દ્વારા સમગ્ર ભારતવાસીઓમાં આઝાદીની લડાય માટે નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. જનજન સુધી આઝાદીની લડત લઈ જવા માટે અંગ્રેજોના જુલ્મી મીઠાના કરના કાળા કાયદા સામે ચપટી મીઠું ઉપાડીને ભંગ કર્યો હતો. આઝાદીની લડતમાં અનેક સ્વતંત્રતા સેનાનીઓ, વીરોના બલિદાનોને યાદ કરવા માટે ૭૫ વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા માટે વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારતમાં અમૃત મહોત્સવનું આયોજન કરીને આઝાદીના લડવૈયાઓ યાદ કરવાનો અવસર આપ્યો છે.
આ વેળાએ રમતગમત યુવા સાસ્કૃતિક વિભાગ દ્વારા વિવિધ રાજયોના લોકનૃત્યો રજુ કરીને દેશભકિત સભર કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અમિતભાઈ, મામલતદારશ્રી ભરત સકસેના, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગાંધી વિચારકશ્રી ઈશ્વરભાઈ પટેલ, તા.પં.પ્રમુખશ્રી જીગ્નેશભાઈ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠિયા, યુવા સરપંચ પ્રિયાબેન તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *