ગુજરાત રાજ્યમાં હોળી- ધુળેટીના આગામી તહેવારની ઉજવણી સંદર્ભમાં રાજ્યના ગૃહ વિભાગની માર્ગદર્શિકા જાહેર.મર્યાદિત સંખ્યામાં પરંપરાગત હોળી પ્રગટાવી પ્રદક્ષિણા અને ધાર્મિક વિધિ કરી શકાશે. હોળી દહન વખતે વધુ ભીડ ન થાય એ જવાબદારી આયોજકોની. ધુળેટીના દિવસે જાહેરમાં ઊજવણી અને સામુહિક કાર્યક્રમ માટે મંજૂરી નહિ આપી શકાય.