રાજ્યોને GST નુકસાનીના ભરપાઈ માટે હવે કેન્દ્ર સરકાર બેન્કો પાસેથી નાણાં લઈને આપશે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે ચાલતા GST નુકસાનીના ભરપાઈ કરવાના વિવાદનો આખરે હવે અંત આવ્યો છે. રાજ્યોને GST નુકસાનીના ભરપાઈ માટે હવે કેન્દ્ર સરકાર બેન્કો પાસેથી નાણાં લઈને આપશે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે ચાલતા GST નુકસાનીના ભરપાઈ કરવાના વિવાદનો આખરે હવે અંત આવ્યો છે. રાજ્યોને GST નુકસાનીના ભરપાઈ માટે હવે કેન્દ્ર સરકાર બેન્કો પાસેથી નાણાં લઈને આપશે.

રાજ્યો દ્વારા થતી GSTની કમાણીને લઈને ચાલેલા વિવાદનો અંત લાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની યોજના રજૂ કરી છે. આ યોજના બાદ રાજ્યો અને કેન્દ્રના નુકસાની ભરપાઈના વિવાદનો અંત આવ્યો છે. આ યોજના મુજબ કેન્દ્ર સરકાર રુ. 1.1 લાખ કરોડ રાજ્યોને GST નુકસાની ભરપાઈ માટે આપશે. આ રુપિયા 1.1 લાખ કરોડ કેન્દ્ર સરકાર બેન્કો પાસેથી લઈને રાજ્ય સરકારોને આપશે. જો કે રાજ્યો માટે આ સહાય દેવું ગણાશે. 

આ પગલાથી કેન્દ્ર સરકારને કોઈ પણ પ્રકારનુ નાણાકીય નુકસાન નહીં થાય. કેન્દ્ર તરફથી રાજ્યોને GST નુકસાની ભરપાઈ પેટે મળી રહેલા પૂર્ણ નાણાંના કારણે રાજ્યોને અલગ-અલગ વ્યાજ ચૂકવવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે. આમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચેના વિવાદનો અંત આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *