અનુરાગ કશ્યપ સામે જાતીય સતામણીનો કેસ કરનાર પાયલ ઘોષે અભિનેત્રી રિચા ચઢ્ઢા વિશે કરેલ વિવાદિત નિવેદન પરત ખેંચવાની અને માફી માંગવાની મુંબઈ હાઈકોર્ટમાં પાયલ ઘોષના વકીલે રજૂઆત કરી હતી. અભિનેત્રી રિચા ચઢ્ઢા સામે વિવાદિત નિવેદન કરતાં પાયલ ઘોષ વિરુધ્ધ રિચા ચઢ્ઢાએ માનહાનિ અને નાણાંકીય વળતરનો કેસ દાખલ કર્યો હતો. જો કે પાયલ ઘોષે ટ્વીટ કરીને પોતાના જ વકીલને ખોટાં પાડ્યા હતાં.
જો કે પાયલ ઘોષે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે તે કોઈની માફી નહિ માંગે અને કહ્યું હતું કે ,
” હું કોઈની માફી નહિ માંગુ, મેં કોઈના માટે ખોટું કે ખોટાં નિવેદન નથી કર્યા. મેં એ જ કહ્યું છે જે અનુરાગ કશ્યપે મને કહ્યું હતું #sorrynotsorry