કેરળના કોઝિકોડ એરપોર્ટ પર દુબઇથી આવી રહેલુ એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ સમયે ફસડાઇ ગયું .

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે સાંજે એક મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલુ એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ સમયે ફસડાઇ ગયું હતું. આ ફ્લાઇટમાં 180થી વધુ મુસાફરો સવાર હતા.

ક્રેશ થયા બાદ વિમાનની તસ્વીરો ખરેખર કાળજું કંપાવનારી છે.

વિમાન રનવે પર લપસી પડ્યા બાદ વિમાન ક્રેશ થતાં બે ટુકડા થયા હતાં. આ ઘટનામાં પ્રાથમિક માહિતી મળતાં અકસ્માતમાં એક પાયલોટનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યાં છે.તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે પ્લેનના બે ટુકડા થઇ ગયા છે. અત્યારે અમુક લોકોને હોસ્પિટલ લઇ જવામા આવ્યા છે. વરસાદના લીધે આ દુર્ઘટના બની હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *