મદ્રાસ હાઈકોર્ટે યોગ ગુરૂ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને દિવ્ય મંદિર યોગ ટ્રસ્ટને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. હાઈકોર્ટે આ દંડ પતંજલિના એ દાવા માટે કરવામાં આવ્યો છે, કે જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમનું આયુર્વેદિક સૂત્રીકરણ કોરોનીલ વાયરસને સારો કરી શકે છે. જો કે આ પહેલા મદ્રાસ હાઈકોર્ટે કોરોના વાયરસનાં ઉપચારને લઈને રજુ કરવામાં આવેલી કોરોનીલ દવાનાં ટ્રેડમાર્કનાં વપરાશ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
ચેન્નાઇની એક કંપની આર્ડુરા એંજિનિયરીંગે હાઇકોર્ટમાં અરજી કરી હતી કે કોરોનીલ અમારી એક પ્રોડક્ટનો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે. અમે છેક 1993માં આ નામ રજિસ્ટર કરાવ્યું હતું અને 2027 સુધી આ અમારો ટ્રેડમાર્ક રહેશે એવું સર્ટિફિકેટ ટ્રેડમાર્ક રજિસ્ટ્રાર તરફથી અમને અપાયું છે. પતંજલિ આ નામ વાપરી શકે નહીં. એ અમારા ટ્રેડમાર્કનો ભંગ કરીને અપરાધ કરી રહી હતી.