ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત વેબસાઈટનું ટ્વિટર એકુન્ટ હેક કરી લેવામાં આવ્યું છે. હેકરે કોવિડ 19 રિલીફ ફંડ માટે બિટકોઈનમાં દાન આપવાની માંગ કરી છે. જો કે તાત્કાલિક આ ટ્વીટ્સ ડિલીટ કરી દેવામાં આવી હતી. પીએમ મોદીની પર્સનલ વેપસાઈટના ટ્વિટર એકાઉન્ટના મેસેજમાં લખવામાં આવ્યું કે, હું તમને લોકોને અપીલ કરું છું કે કોવિડ-19 માટે રચવામાં આવેલા પીએમ રિલીફ ફંડમાં દાન આપો.
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ટ્વિટરે પણ આ એકાઉન્ટ હેક થયાની પુષ્ટિ કરી છે. ટ્વિટરના સ્પોકપર્સને ઇમેઇલ થકી જવાબ આપ્યો છેકે, ‘અમે તેની તપાસ કરી રહ્યાં છીએ. હજી અમને અન્ય એકાઉન્ટને હેક કર્યુ હોવાની કોઇ જાણકારી મળી નથી.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંગત વેબસાઈટ narendramodi.inના આ ટ્વિટર એકાઉન્ટ @narendramodi_inના 25 લાખ કરતા વધારે ફોલોઅર્સ છે.
હકીકતમાં 30 ઓગસ્ટે સાઈબર સિક્યોરિટી ફર્મ સાઈબલે દાવો કર્યો હતો કે પેટીએમ મૉલની ડેટા ચોરીમાં જોન વિક ગ્રૂપનો જ હાથ છે. પેટીએમ મૉલ યૂનીકોર્ન પેટીએમની ઈ-કોમર્સ કંપની છે. સાઈબલનો દાવો છે કે, આ હેકર ગ્રૂપે ખંડણી માંગી હતી. જોકે પેટીએમએ પછી દાવો કર્યો હતો કે તેમના કોઈ ડેટાની ચોરી થઈ નથી.