કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને એમ્સમાંથી રજા આપવામાં આવી. અમિત શાહને 18 ઓગસ્ટે હળવા તાવના પગલે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ 12 દિવસ પછી આજે તેમને રજા આપવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને એમ્સમાંથી રજા આપવામાં આવી.. અમિત શાહને 18 ઓગસ્ટે હળવા તાવના પગલે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ 12 દિવસ પછી આજે તેમને રજા આપવામાં આવી છે.
55 વર્ષની ઉંમરના શાહને પોસ્ટ કોવિડ કેર માટે 18 ઓગસ્ટે દાખલ કરવામાં આવ્યા હતા. ગૃહ મંત્રીને શરીરમાં દુખાવો, થાક અને ચક્કર જેવી ફરિયાદ હતી. AIIMSના ડાયરેક્ટ ડો.રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં તેમની સારવાર ચાલી રહી હતી.
આ પહેલા 2 ઓગસ્ટે શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર થઈ હતી. 14 ઓગસ્ટે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.