ગૃહમંત્રી સ્વસ્થ થયાં, શ્રી અમિત શાહને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા અપાશે.

કોવિડની સારવાર લીધા બાદ પોસ્ટ કોવિડ સારવાર માટૅ 18 ઓગષ્ટથી નવી દિલ્હીની ઓલ ઈંડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયંસ (AIIMS) માં દાખલ શ્રી અમિત શાહને લઈને સારા સામાચાર આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ આજે સાજા થઇ ગયા છે અને હવે તેમને રજા આપવામાં આવશે. દિલ્હીની એમ્સ હોસ્પિટલ તરફથી આજે પ્રેસરિલીઝના માધ્યમ આ માહિતી આપવામાં આવી હતી.

એમ્સ હોસ્પિટલે નિવેદન આપતાં કહ્યું કે અમિત શાહને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે. કોરોના વાયરસને મ્હાત આપ્યા બાદ તેઓ 18મી ઓગસ્ટે એમ્સ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

નોંધનીય છે કે અમિત શાહ બીજી ઓગસ્ટે કોરોના પોઝિટિવ થયા હતા જે બાદ ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં તેમણે સારવાર લીધી અને પછી વાયરસને મ્હાત આપી હતી. કોરોના વાયરસથી સાજા થયા બાદ થાક અને શરીરમાં દુખાવાની ફરિયાદ થયા બાદ કોવિડ કેર બાદની સારવાર માટે તેઓએ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *