5G ટૅકનોલોજી અને કોવિડ વચ્ચે સંબંધ ખરો ? શું સ્પષ્ટતા કરી દૂરસંચાર વિભાગે. ?

ભારત સરકારના દૂરસંચાર વિભાગે માહિતી આપતાં જણાવ્યું હતું કે 5G ટૅકનોલોજી અને કોવિડ 19 ના પ્રસાર વચ્ચે કોઈ સંબંધ નથી. વિભાગે સ્પષ્ટ કહ્યું કે આવા ભ્રામક સંદેશાઓ ખોટાં અને વૈજ્ઞાનિક આધાર વિનાના છે. આવી માહિતીઓ ન ફેલાવવા માટૅ સહુ નાગરિકોને ભારત સરકારે વિનંતી કરી છે. ભારત સરકારે કહ્યું કે હજી સુધી દેશમાં 5 G ટેકનોલોજીનું ટ્રાયલ શરુ પણ નથી કરાયું ત્યારે આ પ્રકારનો દાવો એ ખોટો અને વિસંગત છે.

મોબાઈલ ટાવરોમાંથી ખૂબ ઓછી માત્રામાં નોનઆયોનાઈઝિંગ તરંગો ઉત્પન્ન થાય છે અને મનુષ્ય સહિત કોઈ પણ જીવને તે હાનિ નથી પંહોચાડતી એવી પણ દલીલ દૂરસંચાર વિભાગે આપી છે. રેડિયો ફ્રિકવંસી વડે ઉત્પન્ન થતાં નુક્સાન માટૅ જે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે તે નોન આયોનાઈઝિંગ વિકિરણ સુરક્ષા માટૅ આંતરરાષ્ટ્રીય આયોગ (આંતરરાષ્ટ્રીય કમિશન ઓન નોન-આયનોઇઝિંગ રેડિયેશન પ્રોટેક્શન) વડે અને વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) દ્વારા નિર્ધારિત સુરક્ષા મર્યાદાઓથી દસ ગણા કડક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *